SUREiTT INDIA
FAQ
હા, ભારતમાં રહેનાર દરેક વ્યક્તિ સ્યોરિટ ચા લઈ શકે છે. પણ, સ્યોરિટ ચા લેવા માટે રજીસ્ટર્ડ ગ્રાહક બનવું પડે છે.
ગ્રાહક બનવા માટે ઉંમરનો કોઈ બાધ્ય નથી. ગ્રાહક તો કોઈપણ ઉંમરનો હોય શકે છે. છતાં પ્લાનની સમજણ પડતી હોય તેટલી ઉમર હોવી આવશ્યક છે.
સ્યોરિટ ઇન્ડિયા કંપનીની વેબસાઈટ www.sureitt.com માં રજીસ્ટર્ડ ગ્રાહકની નોંધણી કરાવવી ફરજીયાત છે.
ના, રજીસ્ટર્ડ ગ્રાહક બનતા સમયે કંપની કોઈપણ પ્રકારનું ડોક્યુમેન્ટ માંગતી નથી. ફક્ત તમારા આધાર કાર્ડ નંબરના છેલ્લા 6 ડિજિટ જણાવવાના રહેશે. પણ રિફન્ડનો લાભ લેવા માટે જન્મના પ્લાનમાં જન્મનો દાખલો અને મરણના પ્લાનમાં મરણનો દાખલો, સાથે સાથે આધાર કાર્ડની ઝેરોક્સ કોપી જમા કરાવવાની રહેશે. ત્યારબાદ રિફંડ આપવામાં આવશે. એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે રિફંડ લેતા પહેલા ઘરના કોઈપણ એક સભ્યનું નવું રજી.ગ્રાહક બનવાનું રહેશે.
તમારે સૌ પ્રથમ અમારી વેબસાઇટ www.sureitt.com પર ફ્રી રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
ચાનું પેકેટ ખરીદ્યા પછી, તમારા એકાઉન્ટમાં લોગિન કરો અને Scan QR Code પર ક્લિક કરો. કવરની અંદર આપેલા QR કોડને સ્કેન કરો. સ્કેનરની જસ્ટ નીચે એક લિંક જનરેટ થઇ હશે તેના પર ક્લિક કરો. તમને સકસેસફૂલ ટ્રાન્જેક્શનનો મેસેજ બતાવશે.
સ્યોરિટ ઇન્ડિયા કંપનીની ચા નો એક રેગ્યુલર સ્વાદ (ટેસ્ટ) છે તો અગર કોઈને ચા નો ટેસ્ટ ન ફાવે તો એનો મતલબ એ નથી કે ચા ખરાબ છે. અમે વિશ્વાસ પૂર્વક કહીએ છીએ કે રેગ્યુલર અપનાવશો તો અમુક સમય બાદ સ્યોરિટ ચા પણ આપને ફાવી જશે. જેમ કે દૂર ના એરિયાનું પાણી આપણને શરુવાતમાં ન ફાવે પણ રોજ પીવાનું થાય તો પછી ફાવી જાય છે તેવી રીતે જ અમારી ચા માં પણ બનશે. દરેક ચા ની કંપનીનો પોતાની ચા નો એક અલગ ટેસ્ટ ઉભો કરેલ હોય છે. તમે વર્ષો સુધી એક જ કંપનીની ચા પીધી હોય તો સ્વાભાવિક છે કે કંપની બદલાય તો તેનો ટેસ્ટ પણ બદલાશે, તો તે ટેસ્ટને જીભે ચડતા થોડો સમય લાગી શકે છે. તો થોડો સમય આપો અને બચતનો લાભ લો.
હા, 31 જાન્યુઆરી 2025 સુધીમાં 200 થી પણ વધારે રજિસ્ટર્ડ ગ્રાહકના વારસદારોને તેમના પ્લાન મુજબ રિફન્ડ આપી દેવામાં આવ્યુ છે.
સ્યોરિટ ઇન્ડિયા કંપની અમદાવાદ (ગુજરાત) થી સંચાલિત છે. સ્યોરિટ ઇન્ડિયા કંપની GST સર્ટિફાઈડ , ટ્રેડમાર્ક સર્ટિફાઈડ, FSSAI સર્ટિફાઈડ ધરાવતી કંપની છે. સાથે સાથે ISO 22000 : 2018 સર્ટિફાઈડ પણ છે. તદુપરાંત સ્યોરિટ ઇન્ડિયા કંપનીએ ગુજરાત સરકાર સાથે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2023 માં MOU પણ કરેલ છે. અત્યારે હાલ સ્યોરિટ ઇન્ડિયા કંપની ગુજરાતના 250 થી પણ વધારે ગામડાઓમાં કાર્યરત છે. કંપની નું સૂત્ર છે " જો ચા અમારી તો બચત તમારી ". કંપનીનો ધ્યેય સ્પષ્ટ છે કે અત્યારે મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસ માટે બચત કરવી શક્ય નથી. તો કંપની નવો જ આઈડિયા લઈને માર્કેટમાં આવી છે કે તમે જે વસ્તુ વાપરો છો, જેને તમે બજારમાંથી અન્ય જગ્યાએથી લો જ છો, તો તમને કદાચ તરત જ થોડું ઘણું ડિસ્કાઉન્ટ કે કોઈ ગિફ્ટ મફત મળી જશે. પણ પછી શું ? જયારે સ્યોરિટ ઇન્ડિયા કંપની તાત્કાલિક કોઈ લાભ નહીં આપે, તે જ પ્રોડક્ટ ઉપર ડિસ્કાઉન્ટ ખરું પણ તરત નહીં આપે, ગ્રાહકના મૃત્યુ બાદ તેના જ વારસદારને ભેગું થયેલું ડિસ્કાઉન્ટ પ્લાન મુજબ એક સાથે પરત આપશે. કંપની અત્યાર સુધીમાં ઘણા ગ્રાહકોને ભેગું થયેલું ડિસ્કાઉન્ટ પરત આપી પણ ચુકી છે. અન્ય રીતે સમજો તો તમારા માટે તો બચત જ થઇ રહી છે. જે ભવિષ્યમાં તમારા વારસદારને જ કામ લાગશે.
ના, આ MLM કંપની નથી કે કોઈ ચેઇન સિસ્ટમ પણ નથી. અહીંયા કોઈ કસ્ટમરે બીજા કસ્ટમરને જોડવાના નથી. છતાં જો કોઈ કસ્ટમર બીજા કસ્ટમરને રેફર કરે છે કે લાવે છે તો આવું કરવા માટે તેને કોઈ એક્સ્ટ્રા લાભ મળશે નહીં. તમને સારું લાગે તો બીજાને જણાવી શકો છો. પણ એ તમારી સ્વેચ્છાની વાત છે.
જન્મ યોજનામાં, બાળકના જન્મ સમયે કુલ ખરીદીના 50% રિફંડ મળશે.
મરણ યોજનામાં, ગ્રાહકના મૃત્યુ પછી કુલ ખરીદીના 50% રિફંડ વારસદારને મળશે.
જન્મ ઉપર: કોઈ પણ બાળક કે જેના લગ્ન થવાના છે અથવા લગ્ન થઇ ગયેલ છે અને બાળકનો જન્મ નથી થયો તો તેવા ગ્રાહકે સૌપ્રથમ પોતાના નામે અથવા ઉમર નાની હોય તો માતા અથવા પિતાના નામે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન મફત છે. વારસદારમાં બાળકનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ દર મહિને ઓછામાં ઓછી 250 ગ્રામ ચા લેવાની રહશે. જ્યાં સુધી બાળકનો જન્મ નથી થતો. જયારે બાળકનો જન્મ થાય ત્યારે જન્મનો દાખલો અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ કંપનીમાં વાયા ઓનલાઇન સોફ્ટકોપી મોકલવાની રહેશે. કંપની ડોક્યુમેન્ટની ખરાઈ કરીને ગ્રાહકને ટોટલ ખરીદીના 50 % રકમ રિફંડ ઓનલાઇન ગ્રાહકના બેન્કના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે.
મરણ ઉપર: પ્રથમ રજીસ્ટ્રેશન કરો. જે મફત છે. ત્યારબાદ દર મહિને ઓછામાં ઓછી 250 ગ્રામ ચા ખરીદો. ગ્રાહકના મૃત્યુ બાદ ટોટલ ખરીદીના 50 % રકમ વારસદારને રિફંડ આપવામાં આવશે. રિફંડ માટે જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન મોકલવાના રહેશે. તેની ખરાઈ કર્યા બાદ વારસદારના એકાઉન્ટમાં રિફંડ ટ્રાન્સફર કરશે. ઉંમરનો કોઈ બાધ્ય નથી. ગમે તેટલી ઉંમરની વ્યક્તિ રજીસ્ટર્ડ ગ્રાહક બનીને ચા ખરીદી શકે છે.
ખાસ ધ્યાન રાખો : દર મહિને ઓછામાં ઓછી 250 ગ્રામ ચા ખરીદવી ફરજીયાત છે. જો કોઈ મહિને ખરીદવાની ચુકી જશો તો એકાઉન્ટ બેલેન્સ ( આગળના તમામ મહિનાની ખરીદીની ટોટલ રકમ ) જીરો થઇ જશે. પછી ગમે ત્યારે ખરીદી ચાલુ કરો છો તો નવેસરથી હિસાબ ચાલુ થશે. તેથી ખરીદી કરવાનું ચૂકશો નહીં.
એક મહિનામાં એક ગ્રાહક વધુમાં વધુ 2 કિલો ચા ખરીદી શકે છે.
રિફંડ મેળવવા માટે તમારા એકાઉન્ટમાંથી કંપનીને ક્લેમની રિકવેસ્ટ મોકલો.
ક્લેમ રિકવેસ્ટ મળ્યા બાદ કંપની વેરીફાઈ માટે કોલ કરશે ત્યારે જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન મોકલવા માટે તૈયાર રાખો, જેવા કે જન્મ-મરણનો દાખલો, આધાર કાર્ડની કોપી, રિફંડ ટ્રાન્સફર માટે વારસદારની બેન્ક ડીટેલ
અને ઘરમાંથી કોઈપણ એક સભ્યનું નવું એકાઉન્ટ ખોલવું જરૂરી છે.
તમારો હિસાબ શૂન્ય થઈ જશે અને તમારે ફરીથી શરૂઆત કરવી પડશે. જયારે જયારે કોઈ મહિને મિનિમમ ચા ખરીદવાનું ભૂલી જશો કે પછી ચુકી જશો ત્યારે ત્યારે તમારો ટોટલ હિસાબ જીરો થઇ જશે. તેથી ચોકસાઈ પૂર્વક ખરીદી કરતા રહો.
દર મહિને ઓછામાં ઓછી 250 ગ્રામ ચા ખરીદવી પડશે.
જયારે વધુમાં વધુ 2 કિલો ચા ખરીદી શકો છો.
ના. દુકાન એ અમારી પ્રોડક્ટ ખરીદવાનું ફક્ત એક માધ્યમ છે. તેઓ પાસે કોઈ દિવસ રિફંડની માંગણી કરવી નહીં. તેઓ અમારા તરફથી રિફંડ આપવા બંધાયેલ નથી. નિયમ મુજબ રિફંડ ફક્ત કંપની જ આપશે. જો તમે આ નિયમનું ઉલંગન કરો છો તો તમારું એકાઉન્ટ સસ્પેન્ડ થઇ શકે છે.